CHOTILA TIMES

Latest Breaking News in Gujarati

સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૨૦ જૂને યોજાશે ભરતી મેળો

Bychotilatimes.com

Jun 16, 2024
surendranagar news, surendranagar latest news today , surendranagar collector office

surendranagar news : જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા તા.૨૦/૦૬/૨૦૨૪ના રોજ સવારના ૧૦-૩૦ કલાકે જિલ્લા રોજગાર કચેરી, કલેકટર કચેરી સામે, સુરેન્દ્રનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લામાં યુવાઓને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુથી ‘અનુબંધમ’ વેબપોર્ટલના માધ્યમથી યોજાનાર આ ભરતીમેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતા ભરતી અર્થે ઉપસ્થિત રહેનાર હોવાથી સુરેન્દ્રનગર જિલ્લાનાં ધો.૧૦/૧૨ પાસ, ગ્રેજયુએટ, ડીપ્લોમા(મિકેનીકલ/ઇલેક્ટ્રીકલ), આઈ.ટી.આઈ. (કોઈપણ ટ્રેડ) અને ૧૮ થી ૩૫ વર્ષની લાયકાત ધરાવતા રોજગારવાંછુક ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો તથા બાયોડેટા (ત્રણ થી ચાર નકલ) સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે.

surendranagar news, surendranagar latest news today , surendranagar collector office

આ રોજગાર મેળામાં ભાગ લેવા માટે www. Anubandham. Gujarat. Gov. in વેબપોર્ટલ પર દર્શાવેલ જોબફેર આઇડી: JF322937564 ઉપર નોંધાયેલ કંપનીની જગ્યા સામે આ લીંકમાં https.//forms.gle/Qwmksg1CD27dJwrZA ઉપર નોંધણી કરાવવાની રહેશે. કોઈ કારણોસર ઓનલાઇન નોંધણી ન થાય તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

covishield side effects latest news India’s squad for ICC Men’s T20 Cricket World 2024
India’s squad for ICC Men’s T20 Cricket World 2024
Verified by MonsterInsights